રવિવાર, 13 ફેબ્રુઆરી, 2011

વૃધ્ધાવસ્થાની વ્યથા

વૃધ્ધાવસ્થાની વ્યથા..



આપણા ઋષિમુનીઓએ જીવનની ચાર અવસ્થાઓ ગણાવી છે, બાલ્યાવસ્થા, યુવાવસ્થા,ગૃહાવસ્થા અને વૃધ્ધાવસ્થા. જીવનનો અંતિમ કાળ જે આપણને ત્રાસદાયક લાગે છે તે છે વૃધ્ધાવસ્થા. ’વૃધ્ધ થવું કોઇને ગમતું નથી પણ કાળનું ચક્ર દરેક માનવીને વૃધ્ધાવસ્થાના આંગણે લાવીને છોડે છે ,જ્યાં એકલતા ,નફરત અને લાચારી માણસને મારી મૂકે છે. આ એકલતા પણ પોતાના દીકરાઓ પાસેથી જ વળતર રુપે મળે છે.મા-બાપનો ભાર ચાર ચાર દીકરાઓ નિભાવી શકતા નથી અને તેમને વૃધ્ધાવસ્થાના આંગણે નિ:સહાય છોડી આવે છે!!

આમ કરતા દીકરા-વહુઓને વિચાર પણ નહિ આવતો હોય કે તેમણે લોહીપાણીથી આટલો મોટો કર્યો છે !! હું તેમની આંગણી પકડી ચાલતા શીખ્યો છું. તેમણે મને દુનિયા બતવી છે અને હું તેમને વૃધ્ધાશ્રમ બતાવી રહયો છું.

"એક મા બાપ ત્રણ ચાર દીકરાઓને પાળી પોસીને મોટા કરી શકે છે પરંતું ચાર દીકરાઓ આ મા બાપને ન સાચવી શકે ?? વાહ ન્યાય . "

મારી નજરે એવા ઉદાહરણો જોયા છે જ્યાં ચાર દીકરાઓનો ભર્યો ભર્યો પરિવાર હોવા છતાં એકલી માતા રાત્રે બીજાને ઘરે સૂવે છે.ગાંઠિયા મંગાવીને ખાય છે.આવા દીકરાઓ માતાની સંપતિ હડપી લેવા તૈયાર છે . આવા દીકરાઓને દીપડાઓ કેહવા વધુ યોગ્ય છે.

ભારતના ગામડાઓ જે વિદેશીકરણથી દૂર છે ત્યાંપણ મા અને દીકરો-વહુ ખેતરમાં બાજુ બાજુમાં અલગ રહે છે.આવી વૃધ્ધાવસ્થા ખરેખર હિંમતવાનન માણસને મારી મૂકે છે. માટે તો બધા વૃધ્ધાવસ્થાથી ડરે છે ,ફફડે છે. કારણ વહુના કટુવચનો સહેવાતા નથી.વૃધ્ધોની ઉધરસ તેમની નિંદર બગાડે છે.તેઓ ઘરમાં જ્ગ્યા રોકે છે.તેમનો ખર્ચો ભારે પડે છે.પોતાના બાળકો પર હજારો રુપિયા વાપરતા દંપતીઓ પોતાના પાલકને માટે ૧૦૦ રુપિયાના ચશ્મા લેતા પણ ખચકાય છે.

દીકરાઓને યુવાનીના જોરમાં આમ વર્તતા જોઇ માબાપનું મન જરુર કેહતુ હશે ,

"પીપળ પાન ખરંતા ,હસતી કૂંપણિયા,
અમ વીતી તમ વીતશે ,ધીરી બાપુડિયા".

વૃધ્ધાવસ્થા ખરેખર વસમી લાગે છે કારણ કે પ્રેમ , લાગણી વિના સંબંધો ભારરુપ બની જાય છે.વૃધ્ધો વધારાના બની જાય છે.તેમની આંખો આંસુથી અને હદય વેદનાથી ભરાય જાય છે.

"વૃધ્ધાવસ્થા એ તો પાનખર છે, અને ફ્કત થોડા સમય માટે ,
તમારો સંગાથ ,સ્નેહ ઇચ્છે છે ,એને ખર્યા પેહલા જીવનને ,
મ્હાણી લેવું છે , બસ તમારા માટે જ અર્પિત થઇ જવું છે. "

જગતની વાસ્તવિકતાને સમજો તમારું જીવન પણ કાલે વૃધ્ધાવસ્થાની વંડીએ આવી જશે, ત્યારે તમારા આંસુને કોણ રોકશે ?? તમને કોણ આસરો આપશે ??જરા વિચારો તો ખરા કે ઉપરવાળા પાસે બધો હિસાબ છે.એ તમને માફ નહિ કરે, ત્યાં તમારી દાદાગીરી પણ નહિ ચાલશે.

જાગ્યા ત્યાંથી સવાર કરીને વૃધ્ધોની લાકડી બનો.તેમના દુ:ખને સમજો, તેમની લાગણીને સમજો.તેમને ઘરનો બોજ ન સમજતા ઘરની છત્રછાયા સમજો. જો તમે તેમને ઘરનો બોજ સમજશો તો તમે પણ તમારા બાળકો માટે બોજો જ બનશો કારણ કે આ પાઠ તમે જ તેને શીખવાડ્યા છે. તેમના મૃત્યુ પછી તેમનો ફોટો છાપામાં છપાવવાનો કોઇ અર્થ નથી.તેના કરતા સાચા મનથી પ્રેમ , આદર આપો અને જુઓ તેમના મુખ પરની ખુશી તમરા જીવનમા કેટલી ખુશીઓ લઈ આવે છે ??

2 ટિપ્પણી(ઓ):

maulik કહ્યું...

Well its a gud blog. But for a typical gujarati blog it wud be a OK.
I guess there were few gramatical mistakes as well.
I am sure u can write well.
Keep it up.

અજ્ઞાત કહ્યું...

hey @Maulik : View it using IE and it will be rendered correctly.

ટિપ્પણી પોસ્ટ કરો