શનિવાર, 5 સપ્ટેમ્બર, 2009

કુટુંબ........... તૂટી રહેલી સમાજસંસ્થા



કુટુંબ.. ત્રણ અક્ષરનો શબ્દ ઘરના ત્રીસ સભ્યોને પણ સાથે જોડી શકે છે. કટુંબએ પ્રેમ, સંસ્કાર અને લાગણીથી બંધાયેલી સમાજની સંસ્થા છે , જે ઉતમ નાગરિકો સર્જવા બનાયેલી છે. કુટુંબ સમાજનું આગવુ અંગ છે , જે સમાજનું સિંચન કરે છે.

કુટુંબએ કળિયુગના માથા ફરેલા માનવના કહેવા મુજબ પતિ , પત્ની અને તેમના બાળકોનું સદન . જેમાં ક્યાંય વડીલોને સ્થાન નથી.સ્વતંત્રતા કરતા સ્વછંદતા વધુ છે.પ્રેમ કરતાં આપલેનો હિસાબ વધુ છે.વર્ષે માતા પિતાને પ્રેમ વ્યકત કરવા Mother's day and father's day ઉજવવા પડે છે.આવું કુટુંબ જેમાં બે ટાણાનું ભોજન પણ ભેગા થતું નથી તે ભારતીય સંસ્કૃતિ માટે અપમાનકારક બની રહ્યું છે. આપણા પૂર્વજોએ બહુ સમજદારીપૂર્વક સમાજની રચના કરી હતી.માણસ માત્રને એકલતા ગમતી નથી.આ જ વિચારે તેમણે કુટુંબને જન્મ આપ્યો હશે.

એવા કેટલાય પરિવારો છે જેમાં કુટુંબ માત્ર કહેવાલાયક શબ્દ છે.આવા પરિવારોમાં લાગણીનો અભાવ વર્તાય છે અને ઉષ્મારહિત સંબંધો ઝેર કરતાયં વધુ કડવા લાગે છે. આવા સંબંધો સમાજને શિક્ષણ આપી સકતા નથી અને બોજો બની જાય છે. કુટુંબરચના કરવાનો મૂળ ઉદેશ સંસ્કારો, રીત-રિવાજોની સરવાણીને એક પેઢીથી બીજી પેઢી સુધી વહેતા રાખવાનો છે.ઘરના સ્નેહભર્યા વાતાવરણમાં બાળક હસતા -રમતા શીખે છે.સંબંધોને બાંધતા અને નિભાવતા શીખે છે.સુમેળભર્યુ , સમજદારીપૂર્ણ વર્તન શીખે છે.પોતની જવાબદારીઓ જાણે છે અને બજાવે છે.આમ કુટુંબ બાળકનો સર્વાંગીણ વિકાસ કરે છે. બીજા અર્થમાં કુટુંબ પરિવારના સભ્યોને સાચો પથ બતાવવાનું કામ કરે છે.

વડીલોની છત્રછાયા હેઠળ નાના રોપ મોટા વૃક્ષ બનીને ફૂલે ફાલે છે. વિશાળ સંબંધના તાંતણે બંધાયેલ કુટુંબમાં આવેલી મુશ્કેલીઓ સભ્યોને વધુ સ્નેહમય બનાવે છે.કામનો બોજો વહેંચાય છે અને ઝડપી કામ બધાને વ્હાલા લાગે છે. કારણ કે ,

" ઝાઝા હાથ રળિયામણાં "

આ વાતો આજે જૂનવાણી લાગે છે , તેમાં નવી પેઢીને રસ નથી.પરતું તેઓ ભૂલે છે કે યુવાનીનો રંગ તો થોડા દિવસનો છે, અને તે તો પલકારામાં વીતે જશે.તેમજ રંગ ફિકકો પણ પડી જશે. ખરી હૂંફ અને લાગણીની જરુર તો બુઢાપામાં લાગે છે.કારણ કે લાગણી વગરનું પળપળનું જીવન એક એક યુગ જેવું લાગે છે.

તો તમારો બુઢાપો સુધારવા અને વૃધ્ધાવસ્થાને વસંતઋતુ બનાવવા કુટુંબને સમર્થન આપો.સંબંધોના સ્નેહથી તમારા કુટુંબમાં પ્રસન્તાના પુષ્પો આવવા ધ્યો.આ સમાજ સંસ્થા આદર્શ જ છે કારણ કે , પંખીનો વિખરાયેલો માળો જોઇને આપણે દુ:ખી થઇએ છીએ તો શું તમારો વિખરાયેલો માળો તમારા મનને થંડક આપશે ?? કદાપિ નહિ. તો આવી મૂલ્યવાન સમાજસંસ્થાને બચાવો અને સાબિત કરો કે ,

"એક ઘરમા સાથે રહેવુંએ,કુટુંબ નથી , પરંતુ એકબીજાના સુખ-દુ:ખને સમજીને,
એક્બીજાનો સહારો બની ત્યાગ અને પ્રેમના પુષ્પ , જો સંબંધોમાં પાંગરે તો ઘર કુટુંબ બની શકે."

રવિવાર, 23 ઑગસ્ટ, 2009

સેવા .. પણ મેવા વિના...............




સેવા શબ્દ સાંભળતા જ લગભગ ઘણાના મનમા ’ મેવા મળે તે સેવા ’ એમ યાદ આવતું હશે. તેવી સેવા તો સ્વાર્થ કેહવાય છે.કોઇને આપેલો વિશ્વાસઘાત કહેવાય. આજે આપણે નિ:સ્વાર્થ સેવાની વાત કરવી છે.સેવા એટલે ધન સેવા જ નહિ પરતું સેવા ત્રણ સ્વરુપે થઇ શકે છે.


તન >

તનથી મહેનત કરીને બીજાને મદ્દ્દ કરવી. ભલેને ધન બીજાનું હોય એ પણ સેવા છે. નબળા વિધ્યાર્થીઓએ ભેગા કરી ભણાવવા એ આજ સેવા છે. તે ઉતમ છે ,કારણ કે તેમાં તમારો પૈસો નથી એટલે તેમા અહંકારની ભાવના પણ નથી.

મન >

ભલેને તમારી સાથે પૈસો નથી , શરીર સાથ આપતું નથી.ત્યારે જો તમે આંગણી ચીંધ્યાનું પુણ્ય લઇ તો બહુ મોટી વાત છે.સારું કામ કરનારને બનતી સહાય કરવી એ મનસેવા છે. આ સેવા તમારા મનથી થઇ એટલે તમારો આત્મા પણ સંતોષી બનશો.

ધન >

ભલેને પૈસાપ્રેમી લોકો કેહતા હોય કે

"પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ."

ધનસેવા સૌથી છેલ્લા ક્રમાંકે આવે છે. લક્ષ્મીદેવીની કૃપા બધા પર રેહતી નથી.જયાં દાન, ધર્મ , સંસ્કાર છે ત્યાં તે બિરાજે છે.છતાંય ધનસેવાને મેં છેલ્લી ગણાવી છે.તેનુ કારણ છે પૈસાથી તમારી વાહવાહ થાય છે. વખાણના તોરણ બંધાયા છે. તમારી નામની તકતીઓ મૂકાય છે. તમારા હારતોર થાય છે. આ બધું જોઇ સાંભળી મન ખૂબ ખૂશ થાય છે.મનમા ક્યાંક અભિમાનના ડુંગરા બંધાવવાની શરુઆત થાય છે. માટે કહેવાય છે

"ધનદાન હંમેશા ગુપ્ત રખાય."

જ્યારે આજે તો નામની જાહેરાત માટે દાન દેવાય છે. જે અયોગ્ય છે.


જ્યારે મન દાન / સેવાથી અભિમાનને ઉંબરે આવીને ઉભું રહે છે ત્યારે યાદ કરજો કે
"દાન આપવાવાળા કરતા દાન લેવાવાળો મોટો છે. " કારણ કે જો એ દાન લેતો ન હોત તો તમે કોને આપીને પુણ્ય કમાત ??

ધનદોલતે એ બધું ઉપરવાળાની દેણ છે.

"બાંધી મુઠ્ઠી લઇને આવ્યા હતા અને ખાલી મુઠ્ઠી લઇને જ ઉપર જવાનું છે."

તો આટલો લોભ શા માટે?? શા માટે સત્યકર્મમાં ધન ન વાપરવું ?? પણ અભિમાન વિના. ભગવાને આપણને પ્રુથ્વી પર એકબીજાની મદદ કરવા જ મોકલ્યા છે. સેવા કરીને કંઇ તમે મોટું કામ નથી કરાતા , પરંતુ તમારી ફરજ નિભાવી છે.કોઇ દિવસ ’હેલ્પ’ કરી એમ વિચરી ફૂલાશો નહિ પણ હું બીજાને ઉપયોગી થઇ શકયો એમ વિચારી પ્રભુકૃપા સમજજો.

"દેવાવળો તો ઉપરવાળો છે આપણે તો ફક્ત આપવનું માધ્યમ છીએ."

જો આપણે રોજિંદા સમયમાંથી થોડોક સમય સેવામાં કાઢીએ તો ભારતના કોઇ ગામડાં વીજળી વિનાના ન રહે.સ્વશ્રમથી ગામડે પાક્કા રસ્તા બની શકે.

સેવા કરીને વળતર મળે એ તો એ સેવા નહિ નોકરી બની જાય.પૈસાના તોલે કામ થાય.જ્યારે સેવામાં પૈસાનો હિસાબ જ ન હોય પણ કંઇક કરી છુટવાની ભાવના હોય.

આખા દિવસમાં આપણે પાપના કેટલાય પોટલા બાંધીએ છીએ. પાપના એ પોટલાનો ભાર કેવી રીતે ઉતારશો ?? ઋણ કેવી રીતે ચૂકવશો?? કેવી રીતે ?

એક જ ઉપાય છે ............. સેવા...

ચાલો નક્કી કરીએ કે તમે જીવનની દરેક પળે કોઇને ઉપયોગી બનવનો પ્રયત્ન કરશો. સેવાના બોજા નીચે દટાયા વિના કાંઇક કરી છુટશો.

"સેવાને નિ:સ્વાર્થ બનાવજો
જાતે જલીને જીવનને ઉજાળજો.
તન-મન- ધન પ્રાણ ચઢાવજો
અહંકારના ભાર વિના અજવાળા પાથરજો
આ પથમા યાદ રાખજો
પ્રેરણા ઉપરવાળાની છે
અને તમે માધ્યમ છો."

ચાલો જીવનને સમજીએ....



જીવન.. આ ત્રણ અક્ષરનો શબ્દ જ આપણી જીંદગી છે.

શેક્શપિયરે કહયા મુજબ ,

" જીવને તો નાટક છે અને આપણે સૌ નાટકના પાત્રો... પડદો પડી જાય તે પહેલા આપણું પાત્ર ભજવીને આપણે પડદા પાછળ ચાલ્યા જવાનુ છે . "

માનવ જીવન એટલે સુખ અને દુ:ખ અનુભવવાનો સમય , લાગણી અને પ્રેમ આપીને લેવાનો સમય. આપણને મળેલું જીવન આપણા પૂર્વ કર્મોનું ફ્ળ છે. આ જન્મમાં કરેલા કર્મો આપણો નવો જન્મ નક્કી કરશે. આ આંટીઘુંટી આપણે સમજીએ છે , છતાં પણ તેને અનુરુપ બની શકતા નથી.આખરે કારણ શું છે??

આપણે એક નાના બાળક જેવા છીએ. પાણી ભરેલા તળાવમાં ડૂબકી મારીએ અને જો તરતા ન આવડતું હોય તો ડૂબી જવાય એ વાત બાળક જાણે છે પરંતુ તે પગ બોળવાની ઈચ્છા રોકી સકતો નથી. તેવી જ ર્રીતે આપણને પણ પાપ-પુણ્યની ખબર છે છતાંય મન એકવાર ખરું ખોટું કરીને સાગરમાં પગ બોળવા લલચાય છે.

કરોડો જન્મોના આંટાફેરા પછી આ સર્વોતમ માનવ જન્મ મળે છે. તે શું આમ અખતરા કરવામાં વેડફી દેવાય ??
તેને શું બસ રમત સમજી રમી લેવાય ?? ના ના.. એ તો જીવન સાથે આપણે કરેલો અન્યાય છે. ભગવાનની અમૂલ્ય ભેટનો તિરસ્કાર કરવા જેવી વાત છે. આવો અનર્થ કરતા પેહલા એક્વાર શાન્ત મને જીવનના લેખાંજોખા કરજો. કરેલા કર્મો વિશે વિચારજો. કેટલા ગરીબ હ્દયને તમે સુખ આપ્યું છે ?? તે ગણજો. કેટલું માન તમારા વડીલોને આપ્યું છે? તે વિચારજો . આ બધા વિશે વિચારશો તો ક્યાંક કંઇ ખૂટશે. કંઇક જે તમે હજી સુધી કરી શકયા નથી તેની ખબર પડશે. આ બધી વાતો યુવાનીમાં ઝેર જેવી લાગે છે પરંતુ વ્રધ્ધાવસ્થામાં અમ્રુત લાગે છે.કારણ કે યમના દર્શન દિવસ રાત થાય છે.

તો ચાલો યમના ડરથી બચવાનો ઉપાય શોધીએ ..... ઉપાય છે. ....

> જીવનને લાલસા , લાલચ, લોભમાં વેચી ન નાખતા સંતોષી જીવન જીવતા શીખીએ. જેટલુ વધારે ધન હશે તેટલી સાચવવાની ઉપાધિ વધારે.

> બીજાને સુખ આપી સુખી થતા શીખીએ.કોઇના નિસાસા તમારા સુખી જીવનને ઉજ્જડ બનાવી શકે છે.

> તમારી આવકનો કેટ્લોક હિસ્સો દાન-ધર્મમાં વાપરો. ભગવદગીતામાં કહ્યા મુજબ આપણી આવકનો ૧૦ મો હિસ્સો ધર્માદામાં વાપરવો જોઇએ.

>કદાપિ સ્વાર્થી ન બનો કારણ કે માટીમાંથી સર્જાયેલા માનવને ચપટી માટીની પણ જરુર પડે છે.

>જીવનમાં એક વસ્તુનું ધ્યાન રાખજો , પૈસો આજે છે કાલે નથી. માટે પૈસાના સ્વાર્થમાં અટવાયા વગર સાચો માનવ બનવાના પ્રયત્ન જરુર કરજો.

>જીવનમાં ક્યારેક બદલાની ઇચ્છા રાખ્યા વગર કોઇકનું કામ કરજો. તમને જે આનંદ મળશે તે તમે પૈસથી નહિ ખરીદી શકો.

>સુખમાં છકી ન પડતા અને દુ:ખમાં તૂટી ન પડતા. ઇશ્વર જેને સવારે જગાડે છે તેને ભૂખ્યા પેટે સૂવા દેતો નથી.

>તન , મન અને ધનથી સમાજની સેવા કરતા રહો કારણ કે તમે સમાજનો ભાગ છો અને આ સમાજ તમને મુશ્કેલીમાં મદ્દ્દરુપ થશે.

"પ્રાર્થાના + પુરુષાર્થ = સફળતા"

આ જીવનમાં સફળ થવાનુ સોનેરી સૂત્ર છે. મહેનત વિના ફળ મળતું નથી. કાંટા વાવીને આંબાની ઇચ્છા ન રખાય.

તો જીવનની આ સરગમ વાણીને સમજીએ અને ખરું જીવન જીવીએ. ભલે તમે ડોકટર , વકીલ કે ઇજનેર ન બની શકો તો વાંધો નાહિ એક સાચા માનવ બનજો.

" મરણ પછી સ્મરણ મુકી જય તેનું નામ જીવન."







.